ગુજરાતી: Open Bible Stories

Updated ? hours ago # views See on DCS

19. પ્રબોધકો

Image

ઈસ્ત્રાએલના સંપૂર્ણ ઈતિહાસ દરમ્યાન ઈશ્વરે પ્રબોધકોને મોકલ્યા હતા. પ્રબોધકો ઈશ્વર પાસેથી સંદેશો સાંભળતા અને ત્યારબાદ લોકોને તે સંદેશો કહેતા.

Image

આહાબ જ્યારે ઈસ્ત્રાએલનો રાજા હતો ત્યારે એલિયા પ્રબોધક હતો. આહાબ દુષ્ટ માણસ હતો જેણે લોકોને જુઠો દેવ જેનુ નામ બઆલ હતુ તેની આરાધના કરવા પ્રોત્સાહિત કર્યા. એલીયાએ આહાબને કહ્યુ ”હુ જ્યાં સુધી ના કહુ ત્યાં સુધી ઈસ્ત્રાએલમાં વરસાદ કે ઝાકળ પડશે નહિ.” આના લીધે આહાબ ઘણો ક્રોધિત બન્યો.

Image

ઈશ્વરે એલિયાને અરણ્યમાં આવેલા નાળામાં સંતાઈ જવા કહ્યુ કેમ કે આહાબ જે તેને મારી નાખવા માંગતો હતો. દરેક સવારે અને સાંજે પક્ષીઓ તેના માટે માંસ અને રોટલી લાવતા હતા. આહાબ અને તેનુ સૈન્ય એલિયાની શોધ કરતુ હતુ પરંતુ તેઓ તેને શોધી શક્યા નહિ. દુકાળ એટલો બધો સખત હતો કે નાળુ છેવટે સુકાઈ ગયુ.

Image

એટલે એલિયા નજીક્ના દેશમાં ગયો. તે દેશમાં એક વિધવા અને તેનો પુત્ર, ભયંકર દુકાળના કારણે પુરતા ભોજન વગરના હતા. પરંતુ તેઓએ એલિયાની કાળજી લીધી અને માટે ઈશ્વરે તેમનુ ચમત્કારીક રીતે પૂરું પાડ્યુ જેથી તેમની કુપ્પીમાનું તેલ અને બરણીમાંનો લોટ ક્યારેય ખુટ્યો નહિ. આખા દુકાળ દરમ્યાન તેઓ પાસે પૂરતું ભોજન હતુ. એલીયા કેટલાક વર્ષો સુધી ત્યાં રહ્યો.

Image

સાડા ત્રણ વર્ષ પછી, ઈશ્વરે એલીયાને ઈસ્ત્રાએલ રાજ્યમાં પાછા ફરવા કહ્યું અને આહાબને મળવા જણાવ્યુ, કારણ કે તે ફરીથી વરસાદ મોકલવા જઈ રહ્યા હતા. જ્યારે આહાબે એલીયાને જોયો, ત્યારે તેણે તેને કહ્યું, “એ તું છે, તું દુ:ખ દેનાર !” એલીયાએ તેને ઉત્તર આપ્યો, “તું દુ:ખ દેનાર છે ! તે યહોવાની આજ્ઞાનો ત્યાગ કર્યો છે અને બઆલની સેવા કરી છે. ઈસ્ત્રાએલના બધા લોકોને કાર્મેલ પર્વત ઉપર બોલાવ.”

Image

ઈસ્ત્રાએલના બધા લોકો અને બઆલના 450 પ્રબોધકો, કાર્મેલ પર્વત પર આવ્યા. એલીયાએ લોકોને કહ્યું, “ક્યાં સુધી તમે ઢચું પચું રહેશો ? જો યહોવા ઈશ્વર હોય તો તેને ભજો ! અને જો બઆલ દેવ હોય તો તેને ભજો !”

Image

ત્યારે એલીયાએ બઆલના પ્રબોધકોને કહ્યું, “એક બળદને મારી તેને વેદી પર બલિ તરીકે તૈયાર કરો, પરંતુ તેના પર અગ્નિ પ્રગટાવશો નહીં. હું પણ તેવું જ કરીશ. જે અગ્નિથી જવાબ આપે તે જ સાચો ઈશ્વર છે. માટે બઆલના યાજકોએ વેદી તૈયાર કરી પરંતુ અગ્નિ સળગાવ્યો નહીં.

Image

ત્યારબાદ બઆલના પ્રબોધકોએ બઆલને પ્રાર્થના કરી કે, “બઆલ અમારું સાંભળ.” આખો દિવસ તેઓએ પ્રાર્થના કરી અને પોકારો કર્યા તથા પોતાની જાતને ચપ્પાઓથી ઘા કર્યા, પરંતુ કોઈ જવાબ મળ્યો નહીં.

Image

અને સાંજે એલીયાએ ઈશ્વરની વેદી સમારી. ત્યારબાદ તેણે લોકોને વેદી ઉપરનું માંસ, લાકડા અને વેદીની આસપાસની જમીન પર પલળી ના જાય ત્યાં સુધી બાર માટલા પાણી રેડવાનું કહ્યું.

Image

ત્યારે એલીયાએ પ્રાર્થના કરી, “હે યહોવા, ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબના ઈશ્વર, અમને બતાવ કે તું ઈસ્ત્રાએલનો ઈશ્વર છે અને હું તારો સેવક છું. મને જવાબ આપ કે જેથી આ લોકો જાણી શકે કે તું સાચો ઈશ્વર છે.”

Image

તરત જ, આકાશમાંથી અગ્નિ વરસી અને માંસ, લાકડા, પથ્થરો, ધૂળ અને પાણી કે જે વેદીની આસપાસ હતું તે સઘળુ બાળી નાખ્યું. જ્યારે લોકોએ આ જોયું, ત્યારે તેઓ ભોંય પર પડ્યા અને કહ્યું, “યહોવા જ ઈશ્વર છે યહોવા જ ઈશ્વર છે !”

Image

ત્યારે એલીયાએ કહ્યું, “બઆલના એકપણ પ્રબોધકને નાસી જવા દેશો નહીં !” માટે લોકોએ બઆલના પ્રબોધકોને પકડ્યા અને તેઓ તેઓને ત્યાંથી દૂર લઈ ગયા અને મારી નાંખ્યા.

Image

ત્યારે એલીયાએ આહાબ રાજાને કહ્યું, “તુ તરત જ શહેર તરફ જા. કારણ કે વરસાદ આવી રહ્યો છે.” તરત જ કાળા વાદળો આવ્યા અને ભારે વરસાદ વરસ્યો. યહોવાએ દુકાળનો અંત આણ્યો અને સાબિત કર્યું કે તે જ સાચો ઈશ્વર છે.

Image

એલીયાના સમય બાદ, ઈશ્વરે એલીશા નામના માણસને પોતાના પ્રબોધક તરીકે પસંદ કર્યો. ઈશ્વરે એલીશા મારફતે ઘણા ચમત્કારો કર્યા. એક ચમત્કાર નામાન સાથે થયો, જે દુશ્મન સેનાનો સેનાપતિ હતો, જેને ત્વચાનો ભયંકર રોગ હતો. તેણે એલીશા વિશે સાંભળ્યુ અને તે એલીશા પાસે જઈને તેને સાજો કરવા વિનંતી કરી. એલીશાએ નામાનને યર્દન નદીમાં સાત વાર ડુબકી મારવાનું જણાવ્યું.

Image

શરૂઆતમાં નામાન ક્રોધિત થયો અને તેણે તેવું કર્યુ નહિ કારણ કે તેને તે મુર્ખતા જેવું લાગ્યું. પરંતુ પાછળથી તેણે પોતાનું મન બદલ્યું અને તેણે સાત વાર યર્દનમાં ડુબકીઓ લગાડી. અંતિમ વાર જ્યારે તે બહાર આવ્યો, ત્યારે તેની ચામડી સંપૂર્ણપણે સાજી થઈ ગઈ હતી. ઈશ્વરે તેને સાજો કર્યો હતો.

Image

ઈશ્વરે બીજા ઘણા પ્રબોધકોને મોકલ્યા. તેઓએ લોકોને મૂર્તિપૂજા ન કરવાનું અને ન્યાયથી વર્તવાનું અને બીજાઓ પ્રત્યે દયા દાખવવાનું જણાવ્યું. પ્રબોધકોએ લોકોને ચેતવ્યા કે જો તેઓ દુષ્ટતા કરવાનું છોડશે નહીં અને ઈશ્વરને આજ્ઞાધીન રહેવાનું શરૂ નહીં કરે તો ઈશ્વર તેમને દોષિત માનીને ન્યાય કરશે અને તે તેમને શિક્ષા કરશે.

Image

મોટા ભાગે લોકો ઈશ્વરને આધિન રહ્યા નહીં. તેઓ પ્રબોધકોની સાથે અયોગ્ય રીતે વર્ત્યા અને ઘણીવાર તેઓને મારી પણ નાખ્યા. એકવાર, યર્મિયા પ્રબોધકને સૂકા કૂવામાં નાખી દેવામાં આવ્યો અને તેને મરવા માટે છોડી દીધો. તે કૂવામાં રહેલા કાદવમાં ખૂંચી ગયો, પરંતુ રાજાને તેની પર દયા આવી અને તેણે તેના સૈનિકોને આજ્ઞા આપી કે યર્મિયા મૃત્યુ પામે તે પહેલા તેને બહાર કાઢો.

Image

લોકો નફરત કરતા હતા છતાં પણ પ્રબોધકો ઈશ્વર તરફથી બોલતા રહ્યા. તેમણે લોકોને ચેતવ્યા કે જો તેઓ પસ્તાવો નહીં કરે તો ઈશ્વર તેમનો નાશ કરશે. તેઓએ લોકોને ઈશ્વરનું એ વચન પણ યાદ દેવડાવ્યું કે દેવનો ખ્રિસ્ત (મસીહ) આવશે.

બાઈબલની વાર્તા: ૧ રાજા ૧૬-૧૮,, ૨ રાજા ૫, યર્મિયા ૩૮