22. યોહાનનો જન્મ
ભૂતકાળમાં, દેવે દેવદૂતો અને પ્રબોધકો વડે તેમના લોકો સાથે વાત કરી હતી. પરંતુ ત્યાર બાદ ૪૦૦ વર્ષ વિતી ગયા ત્યાં સુધી તેમણે તેમની સાથે કોઈ વાત ન કરી. અચાનક એક દેવદૂત ઝખાર્યા નામના વૃદ્ધ યાજક પાસે દેવનો એક સંદેશ લાવ્યો. ઝખાર્યા અને તેની પત્ની એલિઝાબેથ ઈશ્વરભક્ત લોકો હતા, પરંતુ તેમને બાળકો થવા સક્ષમ ના હતા.
દૂતે ઝખાર્યાને કહ્યું, “તમારી પત્નીને પુત્ર થશે. તું તેને યુહાન નામ આપજે. તે પવિત્ર આત્માથી ભરપૂર થશે, અને મસિહા માટે લોકોને તૈયાર કરશે!” ઝખાર્યાએ પ્રતિભાવ આપ્યો, “મારી પત્ની અને હું બાળકો થવા માટે ખુબ જ વૃદ્ધ છીએ. આ થશે એ મને કેવી રીતે ખબર પડશે? "
દૂતે ઝખાર્યાને પ્રતિભાવ આપ્યો, “તને આ સારા સમાચાર આપવા માટે દેવે મને મોકલ્યો છે. બાળકનો જન્મ જ્યાં સુધી ના થઇ જાય ત્યાં સુધી તું વાત કરવા માટે અસમર્થ થઈશ કારણ કે તે મારા પર વિશ્વાસ ન કર્યો.” તરત જ, ઝખાર્યા બોલવા માટે અસમર્થ થઇ ગયો. પછી દેવદૂતે ઝખાર્યા પાસેથી ચાલ્યો ગયો. આ પછી, ઝખાર્યા ઘરે પાછો ફર્યો અને તેની પત્ની ગર્ભવતી બની હતી.
જયારે એલિઝાબેથ છ મહિનાથી ગર્ભવતી હતી, ત્યારે અચાનક એ સ્વર્ગદુત એલિઝાબેથની સંબંધી સમક્ષ દેખાયો, જેનું નામ મરિયમ હતું. તે એક કુંવારી હતી અને યૂસફ નામના એક માણસ સાથે સગાઈ થઇ હતી. દૂતે કહ્યું, તું ગર્ભવતી બનશે અને એક પુત્રને જન્મ આપશે. તું તેનું ઈસુ નામ રાખજે. તે સર્વોચ્ચ દેવના પુત્ર હશે અને કાયમ માટે શાસન કરશે.”
મરિયમે જવાબ આપ્યું "આ કેવી રીતે હોઈ શકે છે હજી હું એક કુંવારી છું? દેવદૂતે સમજાવ્યું, “પવિત્ર આત્મા તમારા પર આવશે, અને દેવની શક્તિ તમારા ઉપર વાસ કરશે. જેથી બાળક જે દેવનો પુત્ર થશે, તે પવિત્ર હશે." મરિયમે દેવદૂતની વાત પર વિશ્વાસ કરી અને સ્વીકાર્યું.
દેવદૂતની વાત પછી તરત જ મરિયમે જઈને અને એલિઝાબેથની મુલાકાત લીધી. જયારે એલિઝાબેથે મરિયમની શુભેચ્છા સાંભળી તરત જ, એલિઝાબેથનું બાળક તેના ગર્ભમાં અંદર કૂદવા લાગ્યું. દેવે તેણીઓ માટે જે કર્યું છે તે વિશે તે સ્ત્રીઓએ સાથે મળીને ખૂબ જ આનંદ માણ્યો. મરિયમ ત્રણ મહિના માટે એલિઝાબેથની મુલાકાત લીધી, અને ઘરે પાછા ફર્યા.
એલિઝાબેથે પુત્રને જન્મ આપ્યો, પછી દેવદૂતની આદેશ પ્રમાણે, ઝખાર્યા અને એલિઝાબેથે બાળકને યુહાન નામ આપ્યું હતું. પછી દેવે ઝખાર્યાને ફરીથી બોલી શકવાની મંજૂરી આપી. ઝખાર્યાએ કહ્યું, “ દેવની પ્રશંસા થાય, કારણ કે તેમણે તેમની પ્રજાને યાદ રાખી છે! તું, મારા પુત્ર, સર્વોચ્ચ દેવનો પ્રબોધક કહેવાઈશ જે પ્રજાને તેમના પાપોની ક્ષમા કેવી રીતે પ્રાપ્ત કરી શકે તે બતાવશે!
બાઈબલમાંથી એક વાર્તા: લૂક ૧