26. ઈસુનો સેવાકાર્યોનો આરંભ
શેતાનના પરીક્ષણો પાર કર્યા પછી, ઈસુ જ્યાં રહેતો તે ગાલીલના પ્રદેશમાં પવિત્ર આત્માની સામર્થ સાથે પાછો ફર્યો. ઈસુ શીખવવા માટે એક જગ્યાથી બીજી જગ્યાએ ગયા. દરેક લોકો તેના વિશે સારી વાત કરતા હતા.
ઈસુએ તેના બાળપણના ગામ નાસરેથમાં ગયો. સાબ્બાથના દિવસે, તે પ્રાર્થના સ્થળે ગયો. તેમણે યશાયા પ્રબોધકનું પુસ્તક તેને વાંચવા માટે આપ્યું. ઈસુએ પુસ્તક ખોલ્યું અને એક ભાગ લોકોને વાંચીને સંભળાવ્યો.
ઈસુએ વાંચ્યું, "ગરીબોને સારા સમાચાર બતાવવા, કેદીઓને મુક્ત કરવા, આંધળાઓને દૃષ્ટિ આપવા અને પીડિતોને સ્વતંત્ર કરવા માટે દેવે મને તેમનો આત્મા આપ્યો છે”. આ દેવની કૃપાનું વર્ષ છે.
પછી ઈસુએ નીચે બેસી ગયો. બધા લોકો તેને ધ્યાનથી જોવા લાગ્યા. તેણે પુસ્તકમાંથી મસીહા વિશે જે ભાગ વાંચ્યો હતો, લોકો તે જાણતા હતા. ઈસુએ કહ્યું, "જે શબ્દો હું વાંચું છું તે હમણાં થઈ રહ્યું છે." બધા લોકો આશ્ચર્યચકિત થઇ ગયા. "શું આ યૂસફનો દીકરો નથી?" તેમણે કહ્યું.
પછી ઈસુએ કહ્યું, “એ સાચું છે કે કોઈ પણ પ્રબોધક પોતાના જ શહેરમાં સ્વીકારવામાં નથી આવતો. એલીયાહ પ્રબોધક ના સમયગાળ દરમિયાન ઇઝરાયેલમાં ઘણી વિધવાઓ હતી. સાડા ત્રણ વર્ષ માટે વરસાદ ન પડ્યો ત્યારે, દેવે એલિયા ને ઇઝરાયેલી વિધવાને મદદ કરવા મોકલ્યો ન હતો, પરંતુ તેના બદલે એક બીજા દેશની વિધવા પાસે મોકલી હતી."
પછી ઈસુએ કહ્યું, " એલિશા પ્રબોધકના સમયમાં, ઇઝરાયેલમાં ઘણા લોકો ચામડીના રોગથી પીડિત હતા. પરંતુ એલિશાએ તેમને કોઇને પણ સાજા ન કર્યા હતા. તેમણે માત્ર નામાનનો કોઢ સાજો કર્યો, જે ઇઝરાયેલી દુશ્મનનો સેનાપતિ હતો. જે લોકો ઈસુને સાંભળતા હતા તે યહૂદીઓ હતા. આવું કહેતા સાંભળીને તેઓ ગુસ્સેથી ભરાઈ ગયા.
નાઝારેથના લોકો તેને પાર્થના સ્થળથી બહાર હાંકી કાઢ્યા અને તેને મારી નાખવા માટે એક ખીણ પાસે લઇ ગયા. પરંતુ ઈસુએ ભીડની વચ્ચેથી નીકળી ગયો અને નાઝારેથનું નગર છોડી દીધું.
પછી ઈસુએ ગાલીલના પ્રદેશમાં ગયા, અને મોટી સંખ્યામાં ભીડ તેમની પાસે આવી હતી. તેઓ બીમાર અથવા, ચાલવા, જોવા,સાંભળવા અને બોલી ના શકે એવા અપંગ લોકોને લાવ્યા, અને ઈસુએ તેઓને સાજા કર્યા.
ઘણા લોકો જેમાં દુષ્ટઆત્મા હતા તેમને ઈસુ પાસે લાવવામાં આવ્યા. ઈસુની આજ્ઞા પર, દુષ્ટઆત્માઓ લોકોમાંથી બહાર નીકળી આવ્યા, અને ઘણી વખત બૂમો પાડી, "તું દેવનો પુત્ર છે!" ભીડ આશ્ચર્ય પામી અને દેવની આરાધના કરી.
પછી ઈસુએ બાર પુરુષોની પ્રેરિત તરીકે પસંદગી કરી. પ્રેરિતોએ ઈસુ સાથે મુસાફરી કરી અને તેમની પાસેથી શીખામણ લીધી.
બાઇબલમાંથી એક વાર્તા: માથ્થી ૪: ૧૨-૨૫; માર્ક ૧:૧૪-૧૫, ૩૫-૩૯; ૩:૧૩-૨૧; લૂક ૪:૧૪-૩૦, ૩૮-૪૪